Pages

Thursday, December 13, 2012

અમસ્તા જ નથી પાગલ થતા લોકો


અમસ્તા  નથી પાગલ થતા લોકો,
તેની પાછળ કૈંક કારણ હોય છે.
મદહોશ બનાવે છે પ્રેમીજનોને એવું,
ચાંદની રાત નું વાતાવરણ હોય છે.
લાગશે  પણ મીઠા ભલે હોય ઝઘડા,
જેના છુપાયેલું પ્રેમ નું આવરણ હોય છે.
એક નજર પડતા ચોરાય જાય હૃદય,
પછી થતા  દર્દનું ક્યાં મારણ હોય છે.
શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી હોશ,
કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.
-શ્રેયસ ત્રિવેદી હોશ

No comments:

Post a Comment