Pages

Wednesday, December 19, 2012

ઈન્દુકુમાર જોષી


સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે,
ક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો.
અંધારમાં દીશાઓ ફંફોસતી હવાને,
આજે નહીં તો કાલે આકાર થઈ જવાનો.
જંગલની કેડીઓને  શી રમત સુઝી છે ?
વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો.
વેળા વહી જશે તો શું થશે સમયનું ?
ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો.
-ઈન્દુકુમાર જોષી

No comments:

Post a Comment