Pages

Saturday, December 8, 2012

થાય તો…



મારી વ્યથામા તારુ હાસ્ય ભળે,
તો મારી પીડા માં વધારો થાય…. …
મારી આંખોમાં તારો ઇંતજાર ભળે,
તો મારા અશ્રુમાં વધારો થાય….
મુજ થી બહુ નજદીક છો તુ,
પણ તારાથી બહુ હુ દુર..
જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
તો કદાચ સંબધ માં સુધારો થાય
-નીતા કોટેચા

No comments:

Post a Comment