Pages

Saturday, March 9, 2013

ગઝલ

દ્વાર હું બંધ ક્યાં સુધી રાખું ? 
જાત થી જંગ ક્યાં સુધી રાખું ? 
આવ થોડી ભરી લે શ્વાસોમાં , 
ગંધ અકબંધ ક્યાં સુધી રાખું ! 
રોજ પહેરીને સ્વપ્ન વરસાદી , 
ભીંજ્તું અંગ ક્યાં સુધી રાખું ! 
ખુબ ગમે છે વખાણ મારા પણ , 
આયનો અંધ ક્યાં સુધી રાખું ? 
શુષ્ક ખાલી હથેળી પર ચિતરી, 
ભ્રમ હું જીવંત ક્યાં સુધી રાખું? 
------પીયૂષ પરમાર .

एक ये खौफ की कोई जख्म न देखले दिलका और.....

एक ये खौफ की कोई जख्म न देखले दिलका और.....
  एक ये हसरत की काश ! कोई देखनेवालातो होता...!!!
 ----------------कुमार जिनेश शाह

मेरी जुबाँ से कभी, कुछ दर्द अगर उभर पाए

मेरी जुबाँ से कभी, कुछ दर्द अगर उभर पाए,
सारी बहारें तभी खिज़ा में जरुर बदल जाए; 
कातिब-ए-दर्द, तुने सब पन्ने ऐसे लिखे हैं, 
की ना तो मैं कुछ कह सकूं, न कोई उन्हें समज पाए | 
मुखातिब होते भी, मेरी सुनवाई कभीहोती नहीं, 
उल्फत का तलबगार एक गुनाहगार नज़र आये | 
भूले से भी तु अगर सामने आये, मतलब नहीं अब, 
दास्तां-ए-दर्द निकल जाए, ओर न कोई समज पाए | 
                               
                      . .. जनक म देसाई

Friday, March 8, 2013

ત્યારથી હર્ષ ભીતર બહાર થઇ રહ્યો છે ,

ત્યારથી હર્ષ ભીતર બહાર થઇ રહ્યો છે ,
જ્યારથી સ્પર્શ તારી હથેળીનો થયો છે .
પીયૂષ પરમાર .

Thursday, March 7, 2013

શૂન્ય પાલનપુરી


” ઇશ્વર સ્વરુપે જેને જગત ઓળખી રહ્યું,   એ ‘શૂન્ય’ની પિછાણ હતી, કોણ માનશે? “  -’શૂન્ય’ ના અવશેષ                                                      નામ  અલીખાન બલોચ ઉપનામ  ‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’ જન્મ  19, ડીસેમ્બર -1922;  લીલાપુર, અમદાવાદ   અવસાન  17, માર્ચ -  1987;  પાલનપુર માતા  નનીબીબી પિતા  ઉસ્માનખાન ભાઇ બહેન  ભાઇ – ફતેહખાન લગ્ન  ઝુબેદા સંતાનો  પુત્ર – તસમીન, ઝહીર ; પુત્રી- કમર, પરવેઝ અભ્યાસ  1938- મેટ્રીક – પાલનપુર 1940- બહાઉદ્દીન કોલેજ – જુનાગઢ માં અભ્યાસ અધૂરો મૂક્યો વ્યવસાય  1940- પાજોદ દરબાર- ‘રૂસવાના’ અંગત મંત્રી 1945-54 – અમીરબાઇ મિડલસ્કૂલ – પાલનપુર માં શિક્ષક 1957-60 નોકરી છૂટી, અમદાવાદ અને પાટણમાં નિવાસ પાટણમાં ‘ગીત ગઝલ ‘ માસિકનું પ્રકાશન 1962- મુંબાઇ સમાચારમાં નોકરી મૃત્યુ સુધી. પ્રદાન  કવિતા સંગ્રહ – ગુજરાતી -6, ઉર્દૂ -1, અનુવાદ- 1 મુખ્ય કૃતિઓ  ગઝલ – ગુજરાતી – શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનો દરબાર ગઝલ – ઉર્દૂ – દાસ્તાને ઝિંદગી અનુવાદ – ખૈયામ જીવન   1925 – ત્રણ વર્ષની વયે પિતાનું અવસાન, માતા સાથે પાલનૌર મોસાળમાં ઊછર્યા 1940 – રૂસવા’ના સંપર્કમાં આવ્યા 1940 – ‘રૂસવા’ હાજરીમાં ગુજરાતીમાં ગઝલ કરવાની શરૂઆત , મિત્ર અમૃત ઘાયલે ‘શૂન્ય’ ઉપનામ સૂચવ્યું.
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

શૂન્ય પાલનપુરી


Tuesday, March 5, 2013

ગઝલ ** સનમ ને સવાલ **

તું યાર ક્યાં ? દુશ્મન કયો ? જાણું નહી 
આ દિલ ધડકતું જાય ક્યાં ? જાણું નહી 

આવે ધરી આ દુશ્મનો તારી શકલ ;
યા આંખ આ અંધી બની ? જાણું નહી

છે હાથ તો લાંબો કર્યો , દોરાઉ છું :
છે દોરનારું કોણ આ જાણું નહિ !

છે તો ચમન તારો રચેલો તહે ખુદે !
ચૂં ટુ ગુલો યા ખાર આ ? જાણું નહી:

જાદુ ભરી બુલબુલ બજાવે વાંસળી :
તેની જબા માં કોણ છે ? જાણું નહી - કલાપી

Sunday, March 3, 2013

તું નથી એનો આ અંજામ સનમ

તું  નથી એનો આ અંજામ સનમ 
ગામ પણ લાગતું પરગામ સનમ 
નામ નામોશીનો  પર્યાય હવે 
એટલા થઇ ગયા બદનામ સનમ 
હા,અમે તો ચલુડું માટીનું 
તેજકિરણ જડિત જામ સનમ 
હાથમાં આ રહ્યા બાવન અક્ષર
એકપણ આવે નહિ કામ સનમ 
પ્રાસ પીડા જીગર જુદી જખમ 
છે ગઝલનો જ સરંજામ સનમ 
હાંફળી  હાંફળી  ગગરતી 
ક્યાં છે ઠરાવના હવે થમ સનમ 
તું તો સાઘંત અમદાવાદ નગર
ને અમે વાયા વિરમગામ સનમ 
----અદમ  ટંકારવી -------